First slide
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ(GSYB)ની ઝલક
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગત સ્થાપિત સંસ્થા છે, જેનો હેતુ રાજ્યમાં યોગાભ્યાસ અને યોગક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે.

યોગ, શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક લાભદાયી ક્રિયા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડે કોઇ પણ ઉંમર, જાતિ અથવા સામાજિક દરજ્જો ધરાવતા દરેક વ્યક્તિ સુધી યોગને પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાત્રા યોગના પ્રચારક અને પ્રખર હિમાયતી ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ રાજ્યભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમે યોગ અંગે લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થતાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પહેલનો ઉદ્દેશ્ય વ્યક્તિથી લઇને સમાજને યોગ માટે માહિતગાર કરવા, પ્રેરિત કરવા અને તેમને મદદ કરવાનો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યોગ પ્રશિક્ષકો માટે શ્રેષ્ઠ પ્રશિક્ષણ અને પ્રમાણપત્રો કાર્યક્રમના (સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ) આયોજન પર ખાસ ભાર મૂકે છે. આ કાર્યક્રમો ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રશિક્ષકને સલામત પદ્ધતિ અને અસરકારક રીતે યોગની પ્રશિક્ષણ આપવા માટેનું જ્ઞાન આપવામાં આવે છે, સાથે જ યોગ પ્રશિક્ષણના ક્ષેત્રે સર્વોચ્ચ માપદંડો જળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વ્યક્તિગત રીતે યોગમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવા ઇચ્છતા સૌ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક કાર્યશાળા, પરિષદ અને પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો પ્રારંભિકથી લઈને યોગમાં ઉચ્ચ પ્રશિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓની આવશ્યક્તાઓને પૂરી પાડે છે, સાથે જ આસન, પ્રાણાયામ, ધ્યાન અને તત્વજ્ઞાન જેવા વિષયોને પણ આ કાર્યક્રમોમાં આવરી લેવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સહિત દેશ અને દુનિયામાં વસતાં વ્યક્તિઓ, પરિવારો અને સામાજિક જૂથોમાં યોગ ક્રિયાને સ્થાન અપાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કટિબદ્ધ છે. આ લક્ષ્યને પામવા યોગ અભ્યાસ, પ્રશિક્ષણ અને સમાજના વર્ગોને સહભાગી બનાવવાને પ્રાથમિકતા આપી, જીવનમાં હકારાત્મક બદલાવ લાવતી યોગક્રિયાને જીવનશૈલીનો ભાગ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યરત છે.

ગુજરાત રાજ્ય સહિત દેશ અને દુનિયામાં વસતાં વ્યક્તિઓ, પરિવારો અને સામાજિક જૂથોમાં યોગ ક્રિયાને સ્થાન અપાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કટિબદ્ધ છે. આ લક્ષ્યને પામવા યોગ અભ્યાસ, પ્રશિક્ષણ અને સમાજના વર્ગોને સહભાગી બનાવવાને પ્રાથમિકતા આપી, જીવનમાં હકારાત્મક બદલાવ લાવતી યોગક્રિયાને જીવનશૈલીનો ભાગ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યરત છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ
યોગ બોર્ડના લક્ષ્યો
વર્ષ 2023 સુધીમાં 1,00,000થી વધુ યોગ પ્રશિક્ષકોને પ્રશિક્ષણ આપી તૈયાર કરવા
વર્ષ 2023 સુધીમાં સમગ્ર રાજ્યમાં 5,000+ યોગ વર્ગો શરૂ કરવા
રાજ્યની શાળાઓ/કોલેજોમાં યોગને વિષય તરીકે લાગૂ કરવો
યુવાનોમાં યોગને રમત તરીકે લોકપ્રિય બનાવવા રાજ્યના દરેક જિલ્લામાં યોગાસન સ્પોર્ટ્સ એકેડમીની સ્થાપના કરવી
Subscribe to Newsletter
કોપીરાઇટ © 2025 ગુજરાત રાજય યોગ બોર્ડ